You are currently viewing અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય અલંકાર અને તેના પ્રકાર (Stylistic device in gujarati) વિશે માહિતી આપી છે.  આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

અલંકાર એટલે શું? ગુજરાતી અલંકાર અને તેના પ્રકારના ઉદાહરણો

અલંકાર એટલે આભુષણ. જેવી રીતે આભુષણ એ વ્યક્તિના સોંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સોંદર્યમાં વધારો કરે છે. અલંકાર શબ્દ “અલમ્‌ – કાર”નો બનેલો છે. એટલે કે કશુ ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે તે અલંકાર.

  • ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને ‘અલંકાર‘ કહે છે.

અલંકારના પ્રકાર

કાર્યના આધારે મુખ્ય 2 તેના પ્રકારો પાડવામાં આવ્યા છે.
  1. શબ્દાલંકાર
  2. અર્થાલંકાર

અલંકારના પ્રકાર

શબ્દાલંકાર

શબ્દોને આધારે રચતા અલંકારને શબ્દાલંકાર કહેવાય છે.આ અલંકારમાં શબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સોંદર્યમાં વધારો થાય છે.

જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતીભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખુબીની ચાવી તે તેના શબ્દો છે.
ઉદાહરણ : ‘કૂંચી કરાવું કરુણાનંદ કેરી’માં શબ્દોની ખૂબી છે ને બદલે ‘ચાવી બનાવું કરુણાનંદ’ ની અર્થયુક્ત શબ્દ બદલવાથી શબ્દ ચમત્કૃતિ નાશ પામે છે.
અલંકારનો વધારે અભ્યાસ કરતાં પહેલાં નીચેની બાબતોનો જાણવી પણ જરૂરી છે.
  • ઉપમેય : જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે.
  • ઉપમાન : વસ્તુને (ઉપમેય) ને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે.
ઉપમાનવાચક કે વાચક: ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક કે વાચક પદો કહે છે.
ઉપમાન વાચક પદ સાધારણ ધર્મ સાધારણ ધર્મ : ઉપમેયને ઉપમાન સાથે કોઈએક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે છે કે એ ગુણને ‘સાધારણ ધર્મ’ કહે છે.

શબ્દાલંકારના પ્રકાર :

  • અનુપ્રાસ (વર્ણાનુપ્રાસ / વર્ણસગાઇ) 
  • યમક (શબ્દાનુપ્રાસ) 
  • પ્રાસસાંકળી (આંતરપ્રાસ) 
  • અંત્યાનુપ્રાસ
અનુપ્રાસ (વર્ણાનુપ્રાસ / વર્ણસગાઇ) :

વ્યાખ્યા: વાક્યમાં એકનો એક વર્ણ (અક્ષર) શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે  વર્ણસગાઇ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે.

દા.ત. :
  • સાગરે ભાસતી ભવ્ય ભરતી.
  • કાશીમાએ કામ કાઢ્યું.
  • ધનતેરસે ધન ધોઈને સજ્યા સોળા શણગાર.
  • માંગવું મૃત્યુ પ્રમાણા છે પ્રાણીને.
  • સહિયરનો સાથ ત્યજ્યો સામયે રે લોલ.
  • પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા.
  • પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
  • લગન લગાડે આગ.
  • કાળો કાનુડો કાળી કામળી વાળો.
  • કાકાએ કાચના કટોરામાં કેરીઓ કાપીને મૂકી
યમક (શબ્દાનુપ્રાસ) :
વ્યાખ્યા: એકનો એક અક્ષરસમૂહ બીજીવખત આવતો હોય અને બન્ને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને.
દા.ત. :
  • જવાની તો જવાની છે.
  • તપેલી તો તપેલી..છે.
  • મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા.
  • જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય.
  • થયા પુરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત.
  • દીવા નથી દરબારમાં, દીવાનથી દરબારમાં છે અંધારુ ઘોર.
  • મોર ઉર વસી એ દિવ્ય ઉર્વશી.
  • નોકરી તો નો કરી જેવી છે.
  • ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
  • સુલતાનના મોકલ્યાં બે મિયાં મુલતાનમાં ગુલતાન જતા હતા.
પ્રાસસાંકળી / આંતરપ્રાસ :
વ્યાખ્યા: પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે.
દા.ત.
  • વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.
  • મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ(ઉચ્છવ, ઉત્સવ).
  • જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી.
  • ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ, :શંખનેઃમૃદગ.
  • પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જીવન મરણ જજાળ.
  • હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.
અંત્યાનુપ્રાસ :
વ્યાખ્યા: કોઈપણ કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીને છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. અથવા પંક્તિને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય.
દા.ત. :
  • જેની જશોદા માવલડી, ચરાવે ગાવલડી.
  • ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા
  • કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા.
  • હલે કવચકુંડળ હવે આપી દીધી,
  • મેં જ મારા બે હાથ કાપી દીધા.
  • ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
  • જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.
  • મેં મકાનો બાંધવાને જે ઘડ્યા,
  • રે તે ખીલા તો અહીં જડ્યા.
  • જળમાં જડતું નથી તટને તપાસીએ,
  • એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ.
  • જમિ ગઈ તરત ઘોર કરાલ રાત,
  • લાગી બધે પ્રસરવા પુર માહીં વાત.

અર્થાલંકાર

અર્થાલંકાર કે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિભર્યાં કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે.
ઉદાહરણ : ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું . આ વાક્યમાં કાનને મધુર લાગે તેવો અક્ષર કે શબ્દ નથી. પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે. તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાંની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર કહે છે.

અર્થાલંકાર ના પ્રકાર :

  1. ઉપમા
  2. રૂપક 
  3. ઉત્પ્રેક્ષા 
  4. અનન્વય 
  5. વ્યતિરેક 
  6. શ્લેષ 
  7. વ્યાજસ્તુતિ 
  8. સજીવારોપણ 

અર્થાલંકારના પ્રકારોની વિગતવાર સમજ નીચે મુજબ છે.

ઉપમા :
વ્યાખ્યા: બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે, તેને ઉપમા અલંકાર કહે છે.
નોંધ : જેવું, જેવી, જેવો, સમાન, સરખો, શો, જેમ, સમોવડું, પેઠે, શી, સદેશ, તુલ્ય, સમું… જેવા ઉપમાસૂચક શબ્દો દ્વારા સરખામણી થાય.
દા.ત. :
  • મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
  • ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે!
  • અનિલ શી ઝટ ઉપડી સાંઢણી.
  • સાવ બાળકના સમુ છે આ નગર.
  • વ્રજ સમણા ગઢને તપાસીએ.
  • ધીમે ધીમે ડગલા ધરતો – કોઈ મત ગજેન્દ્રની માફક.
  • માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને.
  • શિશુ સમાન ગની સહદેવને.
  • સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી.
  • ખોબાં જેવડા ગુલાબ લલચાવતા હતા.
  • કમલવત્ ગણીને બાલના ગલ રાતા.
  • કાચ, ઘડિયાર અને સત્યની પેઠે ટાઇમટેબલરપણઃ નાજુક વસ્તુ છે.
  • હો સુખડ સમુ ઉર મારુ.
રૂપક : 
વ્યાખ્યા: રૂપક ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય એટલે કે બન્નેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી. ત્યારે રૂપક અલંકાર બને છે.
દા.ત. : 
  • ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.
  • બપોર એક મોટું શિકારી કૂતરું છે.
  • ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો.
  • પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે.
  • મારે મન લાઈબ્રેરી લોકશાહીનું મંદિર.છે.
  • પંડ્યાની પેટીમાં પારસ છે પડ્યો;
  • આ સંસાર સાગર તરવો સહેલો નથીઃ
  • સાધુજનોની હૃદય-ગંગા સૌનેપવિત્ર કરતી હોય છે.
  • પ્રેમપંથ પાવકની જ્વાલા.
  • હૈયાના હોજમાંથી આ શું;પાણી છલકાય છે.
  • રામ રમકડું જડિયું:
  • તારી આંગળીઓ લાવ, તને પહેરવું તડકાની વીંટી.
  • એમનીચઆંખોમાં લાગણીની ભીનાશ હતી.
ઉત્પ્રેક્ષા : 
વ્યાખ્યા: ઉત્પ્રેક્ષા ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક-સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સંભાવના સૂચક શબ્દો : જાણે, રખે, શકે, શું વગેરે.
દા.ત. : 
  • દમયંતીનું મુખ્ય જાણે પૂનમનો ચંદ્ર!
  • સાવજ ગરજે ! જાણેઃકો જોગંદર ગરજે.
  • દેવોના ધામ.જેવું હૈયુંજાણે હિમાલય.
  • ઉપાન(જોડુ), રણુએ(રજ) આભ છાયો શું સૈન્ય મોટું જાય.
  • હોડી જાણે આરબની ઘોડી.
  • ‘કાયાના સરોવર જાણે હેલે ચડ્યા.
  • થાય છે મારી નજર જાણે હરણ, ને રહે છે ઠેકતી એ ઘાસમાં.
  • હૈયું જાણે હિમાલય.
  • જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.

અનન્વય અલંકાર

અનન્વય : 
વ્યાખ્યા: અનન્વય (અન્ + અન્વય) ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
દા.ત. : 
  • ગાંધીજી એટલે ગાંધીજી.
  • ગિલો એટલે ગિલો.
  • માતે મા ને.બીજાવગડાના વા.
  • અબળાની શક્તિ તો અબળા જેવી.
  • હિરો તે હિરો અને કાચ તે કાચ.
  • મંનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે.
  • ટંડેલાઈ ઈ ટંડેલાઈ.
  • દાદાજી એટલે દાદાજી.
  • જોગનો ધોધ એટલે જોગનો ધોધ.
વ્યતિરેક : 
વ્યાખ્યા: વ્યતિરેક ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે .
દા.ત. :
  • સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર.
  • દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે.
  • હલકા તો પારેવાની પાંખથી, મ્હાદેવથીય મોટાજી.
  • ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે.
  • શિક્ષક એટલે બાપ કરતા પણ વિશિષ્ટ.
  • એનુ અંગ કમળથીયે કોમળ છે.
  • રાજુની ગાળો તો તેને મધથીયે મીઠી લાગતી હતી.
  •  નયન બાણ કરતા જીહ્વભાબાણ વધારે કાતિલ નિવડે છે.
  • પૂ. બાપુનું હૃદય ફૂલ કરતાય કોમળ હતું.
  • ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
  • અચળા અચૂક એક માત રે
શ્લેષ : 

વ્યાખ્યા: શ્લેષ એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે.

દા.ત. :
  • રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં (‘રવિ’ના બે અર્થ) જાય
  • તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. (પાત્ર-વ્યક્તિ, વાસણ; પાણી-જળ, તાકાત)
  • રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.
  • આડ:રમાણીનો. રાગઃકોને મુગ્ધ ન કરે.
  • અઢળક ઢળિયો રે શામળિયો.
  • ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે.
  • એમનું હૃદય કામ વિશે ડ્બેલું હતું.
  • અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી.
  • કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને.
વ્યાજસ્તુતિ : 
વ્યાખ્યા: નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદાના રૂપમાં હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.
દા.ત. :

  • શું તમારી બહાદુરી! ઉંદર જોઈને નાઠા. (વખાણ દ્વારા નિંદા)
  • તમે ખરા પહેલવાન! ઊગતો બાવળ કૂદી ગયા.
  • સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે.
  • છગન માયકાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે.
  • વાહ પહેલવાન! પાપડ તોડી નાખ્યો.
  • દોડવામાં હું હંમેશા પહેલો જ રેહેતો – પાછળથી ગણાતા.
  • તમે ખરા રમતવીર! ઉગતો બાવળ કુદી ગયા.
  • તેના સંગીતનો એવો જાદુ, કુભકર્ણની કૃપા યાચવી જ ન પડે.
  • ગાંધીજી હિસા અને અસત્યના કટ્ટર વેરી હતા.
  • સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે.
  • સુર્યોદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ તો; કાળું થઈ ગયું છે.
  • આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. (નિંદા – વખાણ)
સજીવારોપણ :  
વ્યાખ્યા: નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે. માનવસ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થોમાં થાય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.
દા.ત. : 
  • રામને , સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઊઠ્યા.
  • ફૂલ હસતાં હતાં.
  • દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા.
  • રાતોરાત વનપટ પડખું બદલી લે છે.
  • તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય.
  • પથ્થર થરથર ધ્રૂજે.
  • ગગને સૂરજ ઝોંકા ખાતો, આભ તણી આંખો ઘેરાઈ.
  • નામવરા તાકાત વધારે પડતી ઉદારતાથી શરમિદી(મહારાજ) પડે. છે.
  • હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.
  • ઘડિયારના કાંટા પર હાફ્યા કરે સમય.
  • બપોર એક મોટું શિકારી કુતરું છે.
  • છકડો પાણીપંથો ઘોડો થઈ ગયો.
  • સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ.
  • વડલો ખુશ થયો અને અમારા પર”પાનવર્ષા, કરી.
  • માટીનું આ ખોરડું ઘસઘસાટ હંઘયતું હતું:
  • રાતો-રાત વનપટ પડખું બદલી લે છે.

જો આ સિવાય કોઈ અલંકાર અને તેના ઉદાહરણ આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.