You are currently viewing નિબંધ લેખન એટલે શું?

નિબંધ લેખન એટલે શું?

અહી આર્ટીકલમાં ગુજરાતી સાહિત્યના વિષય નિબંધ લેખન એટલે શું? તેના પ્રકારો અને લખવાની રીત વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે.  (નિબંધ લેખન, નિબંધ લખવાની રીત, નિબંધ એટલે શું, નિબંધ લેખન pdf, નિબંધ લેખન એટલે શું, નિબંધ લેખન ગુજરાતી, નિબંધ લેખન માતૃપ્રેમ, લેખન એટલે શું, હિન્દી નિબંધ લેખન, best nibandh, how to write nibandh lekhan in gujarati, nibandh atmakatha, nibandh atle su in gujarati, nibandh etle gujarati ma, nibandh etle mahiti gujarati ma, what is nibandh lekhan, what is nibandh)

નિબંધ લેખન એટલે શું?

“નિબંધ” શબ્દ બે શબ્દોથી મળીને બન્યું છે -નિ:+બંધ. ‘નિઃ’ એટલે પ્રેપૂરું અને ‘બંધ’ એટલે બંધાયેલું, ગંઠાયેલું અને રચાયેલું માટે તેનો અર્થ સારી રીતે બંધાયેલી રચના એવો કરી શકાય. નિબંધ રચના વિચારપૂર્વક, ક્રમબંધ રૂપથી લખેલી હોય છે. નિબંધ એ ગદ્ય રચના છે, જે આપેલ વિષય પર ક્ર્મબદ્ધ રૂપથી લખેલી માહિતી હોય છે.
‘નિબંધ’ શબ્દ સંસ્કૃત ભાષામાં પણ વપરાયેલો છે. અંગ્રેજીમાં નિબંધ માટે ‘Essay’ શબ્દનો પ્રયોગ થાય છે. કોઈ એક વિષય પર મુદાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી એનું નામ નિબંધ.
નિબંધના પ્રકાર

નિબંધના પ્રકાર:

  • વર્ણનાત્મક નિબંધ
  • વિવર્ણનાત્મક નિબંઘ
  • ભાવનાત્મક નિબંધ
  • વિચારશીલ નિબંધ
  • ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે

નિબંધના પપ્રકારોની માહિતી નીચે મુજબ છે.

  • વર્ણનાત્મક નિબંધ:

આ પ્રકારના નિબંધોમાં સ્થાન, તહેવાર, પ્રાકૃતિક દ્રશ્ય,ઘાર્મિક સ્થળ, પર્યટક સ્થળ, મુસાફરી, મેળો, પ્રસંગો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે.

  • વિવર્ણનાત્મક નિબંધ:

આ પ્રકારના નિબંધોમાં,પ્રવાસ આધારિત, કોઈ ચોક્કસ પ્રસંગ, સંસ્મરણો, કાલ્પનિક ઘટનાઓ વગેરેનો સમાવેશ થાય છે.

  • ભાવનાત્મક નિબંધ:

આવા નિબંધોમાં મનમાં ઉદ્ભવતી ભાવનાઓને ભાવનાત્મક રીતે વર્ણવવામાં આવે છે. જેમ કે તિરસ્કાર, ટીકા, મિત્રતા, ક્રોધ, પ્રેમ, ક્રોધ વગેરેનો સમાવેશ થાય છે..

  • વિચારશીલ નિબંધ:

આ પ્રકારના નિબંધોમાં વિચારો અને દલીલોનું વર્ચસ્વ છે. સાહિત્ય, સમાજ, ધર્મ, ફિલસૂફી વગેરે વિષયો લેખક પોતાની દ્રષ્ટિથી વર્ણવે છે.

  • ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે: 

આવા નિબંધોમાં, નિબંધ એ રૂઢિપ્રયોગ, કહેવત અથવા કોઈ પણ પ્રખ્યાત પંક્તિનું નિવેદન લઈને રચિત હોય છે, જેમકે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, દયા ધર્મનું મૂળ છે વગેરે.

નિબંધનું માળખુંઃ

નિબંધના લખાણને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

  1. આરંભ કે શરૂઆત
  2. વિષયવસ્તુ 
  3. સમાપન કે અંતિમ ભાગ
  •  આરંભઃ નિબંધની શરૂઆત જે તે વિષયનો પ્રવેશ કરાવનાર હોવો જોઈએ. કાવ્યપંક્તિ, સુભાષિત કે પ્રસંગથી થતો આરંભ આકર્ષક અને ઉચ્ચ કક્ષાનો લાગે છે.
  • વિષયવસ્તુ: વિષયવસ્તુ નિબંધનો મહત્ત્વનો ભાગ છે. જેમાં મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે, તર્કબદ્ધ રીતે મુકાયેલા હોવા જોઈએ. નિબંધ જે વિષય પર લખવાનો છે તેને અનુરૂપ લખાણ કે દ્રષ્ટાંત લખવું અનિવાર્ય છે.
  • સમાપનઃ આખા નિબંધના અંતે વિગતના સારરૂપ ફકરો, આવવો જોઈએ. એમાંય જો સૂત્રાત્મક રીતે મૂકી શકાય તો અંત વધુ આકર્ષક અને સચોટ બને છે. સમાપન હંમેશા નિષ્પક્ષ રીતે થવું જોઈએ.

જો આપ આ સિવાયની વધારે માહિતી આપવા માંગતા હોય કે આપને ધ્યાનમા હોય તથા જણાવા માંગતા હોય તો અથવા જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. જો તમે કોઇ વિષય ૫ર સારો ગુજરાતી નિબંધ લખેલ હોય અને અમારા બ્લોગ ૫ર પ્રકાશિત કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] ૫ર ઇમેઇલ મોકલી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.